શુક્રવાર, 11 જુલાઈ, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા મળેલ છે.

Posted: 10 Jul 2014 07:09 AM PDT

  • અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ આપવામાં આવેલ છે. તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ બોલાવેલ ગુજરાત બોર્ડ ના મેરીટ નંબર ૧ થી ૬૦૦ સુધીના ઉમેદવારો એ મેડીકલ માં પ્રવેશ મેળવેલ છે તેમાંથી જે કોઈ ને એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે પ્રવેશ મેળવવો હોય અથવા ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ મેડીકલ માં લીધેલો પ્રવેશ એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે બદલવો હોય તેવા તમામ ઉમેદવારોએ તારીખ ૧૧/૦૭/૨૦૧૪ ના રોજ બપોરે ૨:૦૦ વાગે એડમિશન કમીટી, બી. જે. મેડીકલ કોલેજ ખાતે હાજર રહેવું.

બજેટ એક નજર

Posted: 10 Jul 2014 07:39 AM PDT


બજેટ 


ઇનકમ ટેક્સમાં રાહતની લિમિટને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી

હોમ લોન વ્યાજ પર ટેક્સમાં રાહત 2 લાખ રૂપિયા

સીનિયર સિટીઝન માટે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં

ટીડીએસની સાથે-સાથે એજ્યુકેશન સેસ ત્રણ ટકા કપાશે જ. જો, કોઇનો પગાર ચાર લાખ હોય તો અઢી લાખ પર છૂટ અને બાકીના દોઢ લાખ પર ટીડીએસ કપાત.

ડાયરેક્ટ ટેક્સના સરચાર્જમાં કોઇ વધારો નહીં

50 હજાર રૂપિયા વધી ઇનકમ ટેક્સની લિમિટ

ઇપીએફ કાપ માટે ન્યૂનતમ વેતન પંદર હજાર રૂપિયા
આનો અર્થ થાય છે કે 15000 રૂપિયા સુધી પગાર મેળવતાં લોકોનું પીપીએફ કાપવું નોકરીદાતાઓ માટે જરૂરી થશે. પહેલા આની લિમિટ 6500 રૂપિયા હતી.

PPFની લિમિટ વર્ષિક 1 લાખથી વધારીને 1.5 લાખ

હોમ લોનના વ્યાજ પર ટેક્સથી છૂટની લિમિટ વધારીને બે લાખ કરવામાં આવી

3% એજ્યુકેશન સેસ સતત રહેશે

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીમાં છૂટની સીમાં 1.5 લાખ કરવામાં આવી


નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે. બજેટમાં નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નાણાખાધને 4.1 ટકા લાવવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં તૈયાર થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાતના રૂર્બન મોડલને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.

મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મોદીનું મોડેલ ગુજરાત આ બજેટમાં જોવા મળ્યું હતું.
 
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટની તમામ અપડેટ

અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)

 
* ફેટી એસિડેટ, ફૂડ, પામ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી
* મિથાઈલ આલ્કોહોલ પર આયાત જકાતને ઘટાડાની 2.5 ટકા કરવામાં આવી
* ક્રૂડ તેલ પરની આયાત જકાત પાંચ ટકા કરવામાં આવી
* ટીઆરટીવી ટ્યુબની આયાત જકાતમુક્ત
* એલસીડી-એલઈડી (19 ઈંચથી ઓછા) કરમુક્ત
* સ્ટેનલેસ સ્ટિલ પાઈપ્સ, (ભારતના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા) કસ્ટમ ડ્યુટીના દરને પાંચ ટકાથી વધારી 7.5 ટકા કરવામાં આવ્યો
* પવન ઊર્જાના ઉપયોગ માટે કર ટકાવારીને દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી. વીજ ઉત્પાદનના અન્ય સાધનો પરની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી સસ્તી થશે.
* ગ્લિસરીન પરની આયાત જકાત ઘટાડવામાં આવતા સાબુ અને સૌંદર્ય પ્રસાધનની ચીજો સસ્તી થશે
* તૂટવા માટે આવેલા જહાજો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા હતી જે 2.5 ટકા થશે
* હાલમાં સેમી ડાયમંડ અને રો ડાયમંડ પર કોઈ કર નથી. તેવી જ રીતે અન્ય રત્નો પર 2.5 ટકા કર હતો. જેને નાબુદ કરવામાં આવ્યો
 
અપ્રત્યક્ષ કર (એકસાઈઝ ડ્યુટી)
 
* સોલાર ફોલોવેટિક સેલ્સને એકસાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ
* સિગારેટ 11 ટકાથી વધારીને 72.
* તમાકુ, પાનમસાલા,ચ્યુઈંગ તમાકુ અને ગુટખા પર એકસાઈઝ ડ્યુટી વધતા મોંઘા બનશે
* એરેટેડ બ્રેવરેજીસ પર પાંચ ટકાનો કર
* લિગ્નાઈટની આયાત પર ક્લિન એનર્જી સેસ લાદવામાં આવ્યો.

અપ્રત્યક્ષ કર (સેવા કર)
 
* એરકન્ડિશન મેઈનટેન્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવાકર ફરી લાગૂ
* ઈન્ડિયન ટુર ઓપરેટર્સ ફોરેનર્સને જે સેવાઓ આપશે તેની ઉપર સેવા કર નહીં લાગે
* કોટનના સંગ્રહ, પરિવહન વગેરે પર સેવા કર સમાપ્ત
* તમામ પચાસ હજાર નીચેના જીવન વિમાઓને સેવાકરમાંથી મુક્તિ
* રેડીઓ ટેક્સીઝ પર સેવાકર
* ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ પર સેવાકર
* 13 નવા એરપોર્ટ્સ પર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ્સ 24*7 સેવા આપશે.

પ્રત્યક્ષ કર
 
* કરના દરમાં કોઈ ફેરફાર નહીં
* નાના અને સિમાંત કરદાતાઓને માટે કર છૂટને રૂ. બે લાખથી અઢી લાખ સુધી વિસ્તારવામાં આવી. જેમની ઉંમર સાંઈઠથી નીચે હોય
* કોર્પોરેટ અને વ્યક્તિગત કરને માટે કોઈ ફેરફાર નહીં
* એજ્યુકેશન અને બીજા સેસ યથાવત રહેશે
* સ્થાનિક રોકાણને લાંબા ગાળા માટે વિસ્તારવા માટે 80-સી હેઠળ છૂટને રૂ. એક લાખથી દોઢ લાખ કરવામાં આવી
* મધ્યમ અને નાના ઘરના લોકોના લોનભારણને માટે વ્યાજ પર છૂટની મર્યાદા રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ કરવામાં આવી.
* સિનિયર સિટિઝન્સને માટે રૂ. 2.5 લાખથી છૂટ વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી.
* ભારતીય કંપનીઓને વિદેશી એકમમાંથી આવતી આવકની ઉપર માત્ર પંદર ટકાનો કર દર.
* લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડના લાભના દરને (36 મહિનાઓ) 20 ટકા કરવામાં આવ્યો.
* છ વધુ આયકર સેવા કેન્દ્ર ઊભા કરાશે. 













લેકચરર્સને ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ

Posted: 09 Jul 2014 08:03 PM PDT

લેકચરર્સને  ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ


સોર્સ - ગુજરાત સમાચાર 
ડિસ્ટ્રીક્ટ  ઇન્સ્ટીટયુટ ઓફ એજયુકેશન એન્ડ  ટ્રેનીંગ(ડાએટ) હેઠળની પંદર પીટીસી કોલેજના સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને ફાજલ/છૂટા કરવા અંગેના ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયના અમલ સામે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે મનાઇહુકમ ફરમાવી દીધો છે. ૭૬ જેટલા પ્રાધ્યાપકો તરફથી સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટ અરજીમાં જસ્ટિસ હર્ષાબહેન દેવાણીએ કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, રાજય સરકાર, નેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(એનસીઇઆરટી), ગુજરાત કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(જીસીઈઆરટી), અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી, કમિશનર ઓફ સ્કૂલ્સ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.
ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયને ૭૬ જેટલા વ્યાખ્યાતાઓએ હાઇકોર્ટમાં પડકાર્યો ઃ કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ
વધુમાં, હાઇકોર્ટે ડાએટ હેઠળની પીટીસી કોલેજના આ અરજદાર સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને તેમની મૂળ જગ્યાએ ફરજ બજાવવા દેવા અને તેમનો પગાર ચાલુ રાખવા પણ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સરકારના તા.૩૦-૬-૨૦૧૪ના અરજદારોને મૂળ જગ્યાએથી ફાજલ/છૂટા કરવાના તેમ જ તા.૭-૭-૨૦૧૪ના ડીઇઓ હેઠળ મૂકી ત્યારબાદ તેમના નિર્દેશ મુજબ તેઓને સમાવવા અંગેના નિર્ણયના અમલીકરણ સામે મનાઇહુકમ ફરમાવી દીધો હતો. ડાએટ હેઠળની પંદર પીટીસી કોલેજના ૭૬ સિનિયર લેકચરર્સ અને લેકચરર્સ તરફથી કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં-૯૫૬૦/૨૦૧૪માં  એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ડાએટ એ કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ચાલતી વ્યવસ્થા છે, જેનું કામ શિક્ષકોને તાલીમ આપવા ઉપરાંત પીટીસી કોલેજોનું સંચાલન, રિસર્ચ સહિતનું ઘણુબધુ છે. ડાએટ એ પીટીસી કોલેજ માત્ર નથી અને તેને વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે કોઇ લેવાદેવા નથી, તેનો આધાર તો શિક્ષકોની સંખ્યા પર હોય છે. વળી, ડાએટની પ્રિસર્વિસ ટીચર્સ એજયુકેશન ટ્રેનીંગ બ્રાંચ હેઠળની પીટીસી કોલેજ લેબોરેટરીનું કામ કરે છે અને આ બ્રાંચ ડાએટની તમામ બ્રાંચોમાં હાર્દ સમી છે.  અરજદારો છેલ્લા પંદર-સોળ વર્ષોથી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા વિના લેવાયેલા ઉપરોકત નિર્ણયના કારણે તેમના બંધારણીય અને નોકરીના અધિકારોનું હનન થાય છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં સંબંધિત પીટીસી કોલેજો બંધ કરવાનો અને તેના વ્યાખ્યાતાઓને ફાજલ/છૂટા કરવાનો જે નિર્ણય લીધો છે, તે સત્તા બહારનો ગેરકાયદે અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. કારણ કે, ડાએટની સ્કીમ કેન્દ્ર સરકારની હોઇ તેનું અંગ બંધ કરવાની સત્તા રાજય સરકારને ના હોઇ શકે. અરજદારપક્ષ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો હુકમ જારી કર્યો હતો.


વાહન - ઘર લોન વ્યાજ ગણન યંત્ર

Posted: 09 Jul 2014 12:15 PM PDT

E.L ગણતરી યંત્ર

Posted: 09 Jul 2014 12:13 PM PDT

Family Pension Forms

Posted: 09 Jul 2014 12:10 PM PDT

(Satnam Patel - Adarsh Kanya Vidhyalaya - Bhandu )

ફિક્સવેતન - ચિંતન - ચિંતા

Posted: 09 Jul 2014 09:47 AM PDT

આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક  ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક  ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે. 

ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે  ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ  ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે  ૧૦૦ થી ૩૦૦ રૂ.  મેડિકલ એ  મૂછમાં હાસ્ય ફેલાવે છે. 


ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવા અહિ ક્લીક કરો.

Posted: 09 Jul 2014 09:40 AM PDT

ફાજલ રક્ષણનો કોઈજ પરિપત્ર આજ રોજ થયેલ નથી.

Posted: 09 Jul 2014 09:35 AM PDT

ફાજલ રક્ષણનો કોઈજ પરિપત્ર આજ રોજ થયેલ નથી. 

New Important press note for HSC SCIENCE 2014 PURAK examination starting from 10/07/2014

Posted: 09 Jul 2014 09:29 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો