મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2014

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


excel sheet to find percentile Rank

Posted: 24 Feb 2014 07:37 PM PST

Excel Sheet To Find Percentile Rank 

Monday Puzzle ( Mind Map )

There is a bus with 8 girls. Each girl has 8 bags.In each bag there are 8 big cats. Each big cat has 8 Little cats Each cat has 4 legs.How many legs are present in bus ?

You can send your answer to  jitendra.teo@gmail.com



ચિંતન

Posted: 24 Feb 2014 10:59 AM PST

જરા વિચારજો -  

1.  પતિ - પત્ની બંને શિક્ષક હોય અને બંને સાથે એકજ મકાનમાં રહેતા હોય તો  બંનેને HRA મળે કે પછી એકને જ ? 

3.  HRA ત્યારે જ મળે  જો કોઈ કર્મચારી હેડક્વાર્ટર પર રહેતો હોય.  હેડક્વાર્ટર એટલે  શાળાથી 8  કિ.મીનું અંતર


સરકારના શિક્ષણ વિભાગ દ્વારા  ૧૯૯૮ પછીના નિમણૂંક પામેલા બધાજ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળી ગયું છે એવો કોઈજ પરિપત્ર આજ દિન સુધી થયેલ નથી. 

ફક્ત  જૂન ૨૦૧૪ સુધી ફાજલ થયેલાને છૂટા કરવા નહિ તેવો પરિપત્ર થયેલ છે. 

EVM Sealing Demo - Election

Posted: 24 Feb 2014 10:24 AM PST




કોયડો

Posted: 24 Feb 2014 10:32 AM PST

આજનો કોયડો 

એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ? 

જવાબ -  (1) 24    (2) 16      (3) 15      (4)  12  
જવાબ કોમેંટ્સમાં નામ - સરનામા સાથે આવકાર્ય છે. 



income tax

Posted: 24 Feb 2014 10:31 AM PST

મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.

ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. 


EVM DEMO

Posted: 24 Feb 2014 10:39 AM PST

EVM DEMO



બેકારી ઘટાડવાનો રસ્તો

Posted: 24 Feb 2014 10:42 AM PST

બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો -

 ગુજરાતની બધીજ પે-સેન્ટર  પ્રાથમિક શાળામાં લેપટોપ  ન્ટરનેટ સાથે  ક્લાર્કની ભરતી કરવી જોઈએ. જેથી શિક્ષકો તથા આચાર્યનું 
પેપરવર્ક ઘટશે.અને 
વર્ગમાં શિક્ષકો  અસરકારક શિક્ષણકાર્ય પાછળ સમય આપી શક્શે.
બેકાર ગ્રેજ્યુએટ યુવાનોને કામ મળી રહેશે. અને સરકારની 

વાહ વાહ પણ થશે. 


આશા રાખીએ કે  નજીકના સમયમાં પ્રાથમિકમાં ક્લાર્કની ભરતી માટે 

સરકારશ્રી હકારાત્મક વિચારણા કરે. 


ઘણા શિક્ષકો પૂછે છે કે શાળામાં શિક્ષકોને કેવા પ્રકારની શિક્ષા થઈ શકે  ?

 મિત્રો વિનિમય ૨૭ અ () મુજબ નીચેના કોઈ કારણસર શિક્ષક શિક્ષાને પાત્ર બને છે.
(1) ગેરવર્તણૂક  (2) નૈતિક :પતન  (3) બિનકાર્યક્ષમતા  (4) જાહેર પરીક્ષામાં ગેરરીતિનું આચરણ  (5) ખાનગી ટ્યુશન  


ઉપરોક્ત કારણોસર વિનિમય ૨૭ (૨) માં બે પ્રકારની શિક્ષાની જોગવાઈ છે.
( 1) નાની શિક્ષા - જેમાં ચેતવણી( ઠપકો ) - એક વર્ષથી વધુ નહિ તેવા સમય માટે ભવિષ્યમાં અસર કરે તેમજ અસર કરે તેમ ઈજાફાની રૂકાવટ  - શાળાને થયેલ આર્થિક નુક્શાન માટે  પગારમાંથી વસુલાત -

(2) મોટી શિક્ષા -  પાયરીઉતાર - નોકરીમાંથી બરતરફ - ફરજિયાત નિવૃતિ   




ચિંતન અને ચિંતા

Posted: 24 Feb 2014 09:32 AM PST

આ વિશે પણ ચિંતા અને ચિંતન કરી મગજને કસરત કરાવજો. 

ઉચ્ચત્તરની ભરતીમાં ત્રીજા તબક્કાના સિલેક્શન પછી ભરતી કયા કારણસર અટકી ગઈ છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો  નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
આજના કમ્પ્યૂટરના જમાનામાં ભરતી પૂરી કરવામાં આટલો વિલંબ કરવા પાછળ કયું ગણિત છે તે સમજાતુ નથી.  ભરતીના નિયમો સ્પષ્ટ છે છતાં  ભરતીમાં વિલંબ કરવામાં અધિકારીઓને કેમ આનંદ આવે છે તે સમજાતું નથી. 

મારા મંતવ્ય મુજબ અગાઉ પ્રથમ ત્રણ તબક્કા દરમ્યાન જ લાગતું હતુ કે ભરતી અવળા રસ્તે જઈ રહી છે.  ઉંચા મેરીટવાળા અનામત ઉમેદવારને દૂરની શાળાઓ મળે છે. અનામતની શાળાઓ અનામત ઉમેદવારને કયા કારણથી જોવા ન મળી તે સમજાતું નથી.  ચૂંટણી આચારસંહિતા પહેલાં ભગવાન જવાબદાર અધિકારીને સદબુધ્ધિ આપે કે જેથી  આચારસંહિતા પહેલાં ભરતી પૂરી કરી શકે. 



જરા વિચારો - 

ગુજરાતની કેટલીયે શાળાઓમાં આચાર્ય નથી. અગાઉ મંડળ દ્વારા આચાર્યની તથા શિક્ષકોની ભરતી થતી હતી ત્યારે ખૂબજ ઝડપી આચાર્ય તથા શિક્ષકોની ભરતી થતી હતી જ્યારે આજે છેલ્લા કેટલાયે સમયથી શાળાઓમાં આચાર્યો કે શિક્ષકો નથી. ભરતી બોર્ડ બનેલ છે. ટાટની આચાર્ય તેમજ શિક્ષકો માટે પરીક્ષાઓ લેવાય છે પરંતુ કયા કારણથી ભરતીમાં વિલંબ થાય છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
ઉચ્ચત્તરમાં ઓનલાઈન અરજી મંગાવ્યાના ચાર માસ પછી પણ કમ્પ્યૂટરના આ વાઈબ્રન્ટ  ગુજરાતમાં ભરતી તો ઠીક પરંતુ મેરીટ પણ જાહેર થઈ શકેલ નથી. 

ખરેખર તો કમ્પ્યૂટરના આ જમાનામાં કમ્પૂટર દ્વારા લાખો લોકોનું મેરીટ પલવારમાં ગણાઈ જાય છે તો મેરીટ જાહેર થવામાં વિલંબ કેમ ? કેટલીયે ઉચત્તર શાળાઓમાં શિક્ષકો વિના પ્રથમ સત્ર પણ પૂર્ણ થઈ ગયેલ છે. લાખો શિક્ષિત બેકારોની માનસિક હાલત ડામાડોળ છે. ઉચ્ચત્તર ભરતી ઝડપથી શરૂ થાય તેમ શિક્ષિત અરજદારો ઈચ્છી રહ્યા છે. 








સમાન કામ સમાન વેતન

Posted: 24 Feb 2014 10:35 AM PST

શું આ વ્યાજબી છે ?

સમાન કામ સમાન વેતન અંતર્ગત જરા વિચારજો.

એક સાચી વાર્તા

એકજ શાળામાં એક સિનિયર શિક્ષક કે જે સુપરવાઈઝર છે જેનો માસિક પગાર ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ છે. જેને બે બાળકો તથા માબાપ છે.  જેનો વર્કલોડ સુપરવાઈઝર હોવાને નાતે  અઠવાડિયાના ૧૮ થી ૨૦ તાસ છે જ્યારે બીજો શિક્ષણ સહાયક  ૯૪૦૦ રૂપિયા ઉચ્ચક વેતન મેળવે છે જે પણ બે બાળકો તથા માતાપિતા સાથે રહે છે. જેનો વર્કલોડ અઠવાડિયાના ૩૩ થી ૩૫ તાસ છે.

બંને માટે બજારમાં ખરીદીની બધી વસ્તુના ભાવ સરખા છે. સિનિયર માટે ડુંગળી ૯૦ રૂપિયાની કિલો તો શિક્ષણ સહાયક માટે પણ ડુંગળી ૯૦ રૂપિયાની કિલો. આજ રીતે અન્ય બધી જીવન જરુરિયાતની વસ્તુઓ માટે બજારમાં ભાવ સરખા છે. મોંઘવારી બંને શિક્ષક માટે સમાન છે. દૂધ બંને શિક્ષક માટે ૧ લિટરના ૫૦ થી ૫૫ રૂપિયા છે.
ગુજરાતમાં બજારમાં એવી કોઈ દુકાનો નથી કે જેમાં ફૂલ પગારવાળાના ખરીદીના ભાવ અને ફિક્સ પગારવાળાની ખરીદીના ભાવ જુદા જુદા  હોય. તેલ - પેટ્રોલ - ડીઝલ કે કોઈપણ વસ્તુના ભાવ બધા માટે સમાન છે.

તો શું  કાયમી શિક્ષક કે કોઈપણ કાયમી કર્મચારીને મોંઘવારી નડતી હોય તો પછી ફિક્સ પગાર વાળા કોઈપણ કર્મચારીને બજારૂ મોંઘવારી નડતી નથી ?
 કાયમી કર્મચારીના પગારમાં ૧૦ % મોંઘવારી વધારો થાય તો શું ફિક્સ પગારવાળા કર્મચારીઓ મોંઘવારી વધારા માટે હકદાર નથી ? સરકાર દ્વારા જ્યારે મોંઘવારી વધારો થાય છે ત્યારે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ રૂપિયા પગાર લેતો કે જેનો વર્કલોડ ઓછો છે તે હરખાય છે અને તે દિવસે સમાચારપત્રમાં તે સમાચાર ત્રણથી ચાર વખત વાંચે છે અને મૂછમાં હસે છે જ્યારે અન્ય ફિક્સ પગારવાળો મિત્ર કે જેનો વર્કલોડ ઘણોજ છે અને સતત પરસેવો પાડે છે તે સમાચાર સાંભળી રડી પણ શક્તો નથી.  
સમાન કામ સમાન વેતનના કુદરતી સિધ્ધાંતના નિયમ મુજબ તો તેઓ ફિક્સ પગાર તેમજ તેના લેબલથી જ પહેલાંથી જ માનસિક યાતના ભોગવે છે અને એમાંય મોંઘવારી વધારાનો માર તેમની યાતનાઓમાં ઉદીપકીય વધારો કરે છે.
આ પ્રશ્ન અંતર્ગત રાત્રે જમ્યા પછી શાંત ચિત્તે ખુરશીમાં બેસી પેટમાં રહેલા અન્ન ઉપર હાથ ફેરવી જરા વિચારજો હોં કે .......

 આ પોસ્ટ અંગે આપની કોમેંટ્સ આવકાર્ય છે. 


Posted: 24 Feb 2014 10:27 AM PST

મૂંઝવણ

Posted: 24 Feb 2014 09:51 AM PST

ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?  ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે. 
આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ બોર્ડમાં એક આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો