ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


શિક્ષક દિન વિશેષ

Posted: 04 Sep 2013 08:37 PM PDT


શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ = વેદાંત,હિંદુ
જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''
સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
==
જીવન ==
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.

TET 2 Provisional answer key Declared

Posted: 04 Sep 2013 06:46 AM PDT

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો