બુધવાર, 14 મે, 2014

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


શહેરના પાંચ અગ્રીમ વિદ્યાર્થીઓમાં ગુજરાત બોર્ડના બે વિદ્યાર્થી

Posted: 14 May 2014 12:44 AM PDT

JEE મેઇનનું પરિણામ જાહેર ધૃતિ શાહ વડોદરામાં અગ્રેસર

જેઇઇ એડવાન્સ માટે ૧૧૫ માર્કસ કટ ઓફ લાઇન


(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શનિવાર
સીબીએસઇ દ્વારા તાજેતરમાં લેવાયેલી જેઇઇ મેઇનની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ હતું. વડોદરામાં નવરચાની વિદ્યાર્થિની ધૃતિ શાહ ૨૯૯ માર્કસ સાથે અગ્રેસર રહી હતી. શહેરના ટોચના પાંચ વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્યમના બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દેશની ટોચની એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટેની યાદી તૈયાર કરવાના ભાગરૃપે લેવાયેલી જોઇન્ટ એન્જિનિયરીંગ એન્ટરન્સ એકઝામનું આજે પરિણામ જાહેર થયું હતું. શહેરના ટોચ પાંચ વિદ્યાર્થીઓમાં નવરચના સ્કુલની ધૃતિ નીલેશ શાહ પ્રથમ રહી હતી. પાર્થ સ્કુલના ગુજરાતી માધ્યમના બે વિદ્યાર્થીઓ ટોચના પાંચમા સ્થાન મેળવી શક્યા હતા.
ટોચના લગભગ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી કોમ્પ્યુટર સાયન્સમાં ઘડવાની તમન્ના રજુ કરી હતી.
આ વર્ષે જેઇઇ એડવાન્સમાં બેસવા માટે ૧૧૫ માર્કસને કટઓફ લાઇન જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે કટ ઓફ લાઇન ૧૧૩ માર્કસની હતી. આ જોતા આ વખતે જેઇઇ એડવાન્સમાં બેસનારાની સંખ્યા ઘટી અને સ્પર્ધા તીવ્ર બને તે શક્ય છે.
ગુજરાતમાં આ પરીક્ષા વડોદરા સહિત ૧૪ કેન્દ્રો પર લેવાયેલી હતી. પરીક્ષા લેખિત અને ઓનલાઇન એમ બન્ને રીતે લેવાઇ હતી.
આ પરીક્ષા પાસ કરીને સફળ ઉમેદવાર બીઇ, બીટેક, બી.આર્ક, બી. પ્લાનીંગ જેવા અભ્યાસક્રમોમાં અને દેશની પ્રતિષ્ઠિત આઇઆઇટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા સક્ષમ બને છે. આજે જાહેર થયેલા વ્યક્તિગત પરિણામો બાદ ઓલ ઇન્ડિયા રેન્ક તા.૭મીએ જાહેર થશે, તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ટોપર પૈકીના ધૃતિ શાહ, વરૃણેશ ગોયલ અને રોહન શાહ ફિટજીના તાલીમાર્થી છે. જ્યારે રાઘવ સોનવણે અને અવિનેલ જૈન આઇઆઇટી આશ્રમના વિદ્યાર્થીઓ છે.

નપાસ થયેલી વિદ્યાર્થીનીને બીએની ડીગ્રી આપી દીધી

Posted: 14 May 2014 12:40 AM PDT

યુનિ.ના પરીક્ષા વિભાગનો મહાછબરડો

વિદ્યાર્થીનીને એક વિષયની પરીક્ષા પાસ કરવાની બાકી છે આમ છતા યુનિવર્સિટી તરફથી ફર્


(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માર્કના કે વિદ્યાર્થીને ગેરહાજર દર્શાવવાના છબરડા થતા હોય છે પરંતુ આ તમામ છબરડાને બાજુ પર મુકી દે તેવો એક મહા છબરડો રહી રહીને સપાટી પર આવ્યો છે.યુનિવર્સિટીએ આર્ટસ ફેકલ્ટીની નાપાસ થયેલી એક વિદ્યાર્થીનીને ફર્સ્ટ ક્લાસ સાથેની ડીગ્રી એનાયત કરી દીધી છે.
મળતી વિગતો પ્રમાણે આર્ટસમાં અભ્યાસ  કરનાર વિદ્યાર્થીની છાયા સોલંકીએ જુના કોર્સ પ્રમાણે જ્યારે પ્રથમ વર્ષની પરીક્ષા આપી ત્યારે તે અંગ્રેજીના વૈકલ્પિક વિષયમાં નાપાસ થઈ હતી.તેણે ૨૦૧૩માં ટીવાયની પરીક્ષા આપી હતી.આ પરીક્ષામાં તેણે પ્રથમ વર્ગ મેળવ્યો હતો.સાથે સાથે એફવાયના ઓપ્શનલ વિષય અંગ્રેજીની પરીક્ષા પણ તેણે આપી હતી.જોકે તે ફરી આ વિષયની પરીક્ષામાં નાપાસ થઈ હતી અને બીજી તરફ ટીવાયમાં તે પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થઈ હતી.
એફવાયની પરીક્ષામાં પાસ થઈ નહી હોવાથી તેને બીએની ડીગ્રી મળી શકે નહી પરંતુ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ગત ડીસેમ્બર મહિનામાં યોજાયેલા પદવીદાન સમારોહમાં તેને બીએની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી એટલુ જ નહી ડીગ્રીમાં તેણે પ્રથમ વર્ગ મેળવ્યો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ ૨૩મી મેએ

Posted: 14 May 2014 12:27 AM PDT

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી

૧લા, ૨જા અને ૩જા સેમેસ્ટર સહિત સરેરાશ રિઝલ્ટ પણ આપી દેવાશે


અમદાવાદ, સોમવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું તેમજ એપ્રિલમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ ૨૩મી મેના શુક્રવારનાં રોજ જાહેર કરાશે. ચોથા સેમેસ્ટરની સાથે ૨૦૧૩માં લેવાયેલાં સાયન્સના ૧લા, ૨જા, ૩જા સેમેસ્ટરની પરીક્ષા મળીને સરેરાશ પરિણામ પણ આપી દેવાશે. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૨૮મી મેના રોજ જાહેર થવાની શકયતા છે.
ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં કુલ ૧૧૫૪૯૫ વિદ્યાર્થીઓ હતા. જેમાં એ ગુ્રપમાં ૭૩૬૭૦ અને બી ગુ્રપમાં ૪૧૭૩૯ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. માર્ચમાં લેવાયેલી ચોથા સેમેસ્ટરની પરીક્ષાનાં પરિણામ માટે વિદ્યાર્થી-વાલીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આખરે બોર્ડે સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરી છે જે મુજબ આગામી ૨૩મીએ પરિણામ આપી દેવાશે. આ વર્ષે આ જ દિવસે વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવાની વ્યવસ્થા કરાઇ રહી છે.
ચોથા સેમેસ્ટરની સાથે આ જ વિદ્યાર્થીઓએ અગાઉ આપેલી ૧લા, ૨જા અને ૩જા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આપી દેવાશે.
ચારેય સેમેસ્ટરનું સરેરાશ પરિણામ આપી દેવાશે. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ મેના છેલ્લા સપ્તાહમાં જાહેર થશે. ધો. ૧૦નું પરિણામ ૨જી જૂને આવવાની શકયતા છે. માર્કશીટ સાદી આપવી કે લેમિનેશવાળી તેનો નિર્ણય પણ એકાદ-બે દિવસમાં જાહેર થશે.

100% D.A. પરીપત્ર સુરત જિલ્લો

Posted: 13 May 2014 11:39 PM PDT


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો