ગુરુવાર, 29 ઑગસ્ટ, 2013

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 29 Aug 2013 01:34 AM PDT

Posted: 29 Aug 2013 12:58 AM PDT

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી  

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.

ખાસ નોંધ :
 જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )

SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.



ખાલી જગ્યાની યાદી

Posted: 28 Aug 2013 10:39 PM PDT

 
 

માધ્યમિક શિક્ષકોના આ સળગતા પ્રશ્ન મા પણ સંઘ ઉગ્ર રજુઆત કરે

હજુ બીજો સાળગતો પ્રશ્ન એ છેકે જેમાં કેટલાક શિક્ષક મિત્રો માધ્યમિક માથી ૨૦૧૨ મા
H-TAT ની પરિક્ષા આપી ને પ્રાથમિકમાં આચાર્ય ( મુખ્ય શિક્ષક ) માં જોડાયા છે. જેમાં કેટલાક શિક્ષક મિત્રો ૧૨ વર્ષ નો અનુભવ હોવા છતાં તેમને સરકાર શ્રી ના મનઘડત નિયમો ને કારણે તેમનો પગાર ધોરણમાં એક ઇજાફા નો વધારો મળવો જોઇએ તેના બદલે તેવાં મિત્રોના પગાર ૯૩૦૦ + ૪૨૦૦ થી ચાલુ કર્યા છે જેમાં માધ્યમિક માથી મુખ્ય સિક્ષક મા આવનાર શિક્ષકો ને માસિક ૩૦૦૦ થી ૪૦૦૦ નુ નુકશાન જાય છે.

તેના સામે બધા માધ્યમિક શિક્ષકો કે જે મુખ્ય શિક્ષકોમાં જવા માગતા હોય તેઓની સંઘ ના હોદ્દેદારો ને નમ્ર અપીલ છે કે તેઓ શિક્ષણ વિભાગમાં સરકારશ્રી ને ગળે એ વાત ઉતારેકે માધ્યમિક માથી જે મિત્રો મુખ્યશિક્ષકમાં જવા માગે છે તેમને તેમના ચાલુ પાગરનુ રક્ષણ આપી ને તેજ સવર્ગ મા એક ઇજાફો આપે જે સરકારશ્રીનો જુનો નિયમ છે.

તેમાં સરકારશ્રી ને થનારા ફાયદા

૧. સરકારના નાણા વિભાગમાં કોઇ આર્થિક બોજો પડતો નથી
૨. તેના સામે માદ્યમિકમાં તે શિક્ષક ની જગ્યા ઉભી થાય જ છે
૩. માદ્યમિક ના કુશળ અને અનુભવી શિક્ષકો પ્રાથમિક આચાર્ય મા સારી કામગીરી કરી શકે છે.
૪.પ્રાથમિક ના મિત્રો ઘણા રાજીનામુ મુકિ ને પાછા જતા રહ્યા છે.જે થી જ્ગ્યા ભરાતી નથી.
ઉપરોક્ત બધાજ મુદ્દાઓ ની એવી ઉગ્ર રજુઆત કરોકે આ સળગતા પ્રશ્ન નો તાત્કાલીક ધોરણે એટલે કે ૨૦૧૩ ની મુખ્ય શિક્ષકો ની ભરતી થાય તે પહેલાં ઉકેલ લાવી શકે તેવી લોક લાગણી છે.અને પ્રભુ ને એવી પ્રાર્થના કરી એ કે આમાં પણ સંઘ ને ૧૦૦ % સફળતા મળે તેજ અભ્યર્થના.......

આવા જે મિત્રો હોય જે મુખ્ય શિક્ષકમાં જોડાયા હોય કે જોડાવા માગતા હોય તેમેન
બધાએ ૭૮૭૪૩ ૯૬૩૮૩ પર સંપર્ક કરવો જેથી સરકાર શ્રી ને રજુઆત કરી શકાય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો